Skip to main content

Posts

Showing posts from July, 2018

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચંદન

આ પોસ્ટ નો હેતુ લાલ ચંદન ની સાચી ઓળખ કરાવાનો છે. 4,5 વર્ષો થી ઘણા બધા ખેડૂત મિત્રો એ લાલ ચંદન ના નામે રંતનગુંજા કે જેના બીજ લાલા કલરના ચમકતા હોય છે તેનું વાવેતર કરેલ કરે છે.. લાલ ચંદન અને રક્તચંદન(રતાંજલી, રતનગુંજા) બન્ને સંપૂર્ણ જુદા ઝાડ છે. બન્ને ઝાડ કોઈપણ જમીનમાં થઈ શકે છે અને પાણીની અછત સહન કરી શકે છે. સફેદ ચંદન સુગંધિત હોય છે અને તેનું વાવેતર વધુ થાય છે. લાલ ચંદન પણ દક્ષિણના સૂકા જનગલોમાં થાય છે તેનું લાકડું કિંમતી ફર્નિચરમા વપરાય છે. રક્તચંદન જે રતનગુંજા, રતાજલી નામે ઓળખાય છે. જેનું આયુર્વેદમાં મહત્વ વધુ છે. કુદરતી એન્ટિબાયોટિક હોય તેના ગર્ભમાં રહેલા લાલ લાકડાને પથ્થર પર ઘસીને મલમ દવા તરીકે વાપરતા.

गिलोय

आपके लिए गिलोय के औषधीय गुणों के बारे में जानकारी लेकर आये हैं। यह औषधि गरीब के घर की डॉक्टर समान है। गिलोय लगभग भारत में सभी जगह पायी जाती है।

કોકમ (Garcinia indica)

કોકમ પશ્ચિમઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્ય આકારનું રુક્ષ છે.  #દેખાવે અતિસુંદર સદાહરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે .

चिरौंजी

कभी खीर तो कभी मिठाइयों में आप सभी ने चिरौंजी का सेवन किया होगा,, पर इसकी फसल होती हैं या पेड़ ये कम ही जानते होंगे.... । चिरौंजी को प्रियाल, खरस्कंध, चार, राजादन,सन्नकदृ, पियाल,चारोली आदि नामों से जाना जाता हैं.... । यह भारत का मूल निवासी पेड़ हैं  .... देश के उत्तर-पश्चिमी हिस्सों में बहुतायत में पाया जाता है ....मध्यप्रदेश के बेतुल में इसके काफी पेड़ पाए जाते है,, वही बस्तर में सघन वन .... इस पर गोल और काले कत्थई रंग का एक फल लगता है.... यह फल पकने पर मीठा और स्वादिष्ट होता है और उसके अन्दर से बीज प्राप्त होता है. बीज या गुठली का बाहरी आवरण मजबूत होता है....इसे तोड़कर उसकी मींगी निकालते है.....यह मींगी ही चिरौंजी कहलाती है और एक सूखे मेवे की तरह इस्तेमाल की जाती है....। चिरौंजी के अतिरिक्त, इस पेड़ की जड़े, फल,पत्तियां और गोंद का औषधीय दवाइयों में उपयोग किया जाता है.... चिरौंजी का उपयोग कई भारतीय मिठाई बनाने में एक सामग्री की तरह इस्तेमाल किया जाता है....वही इसका सेवन हमे अनेक बीमारियों से बचाता हैं...। चिरौंजी बीज में करीब 50% से अधिक तेल होता हैं, जो की चिरौंजी का तेल नाम से ज...

સર્પગંધા (Rauwolfia Serpentins)

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી . સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે. એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે. પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે. આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિ...

અક્કલકરો ઔષધ.

અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છ...

કૂબો(thumbe) કૂબો ,દ્રોણપુષ્પી (ગુમ્મા)

દ્રોણપુષ્પી જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ છીએ. તે આપણા મોટા ભાગનાં વિસ્તારમા જોવા મળે છે. તેને ગુજરાતીમાં કુબા નાં નામ થી અને ર્હિન્દીમાં ગુમ્મા,  સંસ્કૃતમાં દ્રોણપુષ્પી.  નામથી ઓળખવામાં આવે છે. દ્રોણપુષ્પી(કુબા) નો છોડ બે થી ચાર ફૂટ લાંબો અને ચાર પાંચ ડાળીઓ વાળો ઘૂંઘટ આકારનો હોય છે. દ્રોણપુષ્પી  (ગુમ્મા) ના છોડ ઉપર સફેદ રંગના નાના નાના દાણા હોય છે. તેના પાંદડા 2-3 ઇંચ લાંબા અને અણીદાર છેડા વાળા હોય છે. તેના ફૂલ કપ જેવા આકારના સફેદ અને ઘટાદાર હોય છે. ફૂલના દરેક ગુછા ઉપર બે પાંદડા જોડાયેલા હોય છે. તેની ડાળીઓ પાતળી અને 5 થી 6 ઇંચ લાંબી હોય છે. જેની ગંધ તીવ્ર હોય છે. તેના ઉપયોગથી ઘણા રોગો દુર થઇ શકે છે.  તે ઉદર રોગ, વિશ દોષ, યકૃત વિકાર, પક્ષઘાત વગેરે માં ખુબ ફાયદાકારક ઔષધી છે.  ઝેર, જ્વર માટે કુબા કે દ્રોણપુષ્પી  ની ડાળીઓ કે પાંદડાને વાટીને પોટલી બનાવી લો અને તેને જમણા હાથની નાડી ઉપર કપડાની મદદથી બાંધી દો. તેનાથી રોગીનું જ્વર ખુબ જ વહેલા ઠીક થઇ જાય છે. સુકા રોગમાં – સુકા રોગ ખાસ કરીને નાના બાળકોને થાય છે. ગુમ્મા ની ડાળીઓ કે પાંદડાને વાટીને ...

સરગવા

કલ્પના કરો. એક એવું ઝાડ જેના પાન અને સિંગમાં ૩૦૦થી વધારે રોગોને અટકાવવાના ગુણ, ૯૨ વિટામિન્સ, ૧૬ એન્ટિ ઓક્સિડેન્ટ, ૩૬ દર્દ નિવારક અને ૧૮ પ્રકારના એમિનો એસિડ મળે છે તો આ ઝાડને ચમત્કાર જ માનવામાં આવશે. તમારી આસપાસ આમ જ ઉગતા સરગવામાં આ તમામ ગુણો રહેલા છે. તેની ખૂબીઓનો આટલેથી જ અંત આવી જતો નથી. ચારા તરીકે તેના લીલા અને સૂકા પાનના ઉપયોગથી પશુઓના દૂધમાં દોઢ ગણાથી વધારે અને વજનમાં ત્રીજા ભાગ કરતાં વધારેની વૃદ્ઘિના અહેવાલ છે. એટલું જ નહીં, તેના પાનના રસને પાણીમાં મિલાવી પાક પર છાંટવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. કુપોષણ, એનીમિયા વિરૂદ્ઘના જંગમાં સર્વસુલભ અને દરેક જગ્યાએ પેદા થતો સરગવો ઉપેિક્ષત છે. લગભગ પાંચ વર્ષ પહેલા આયુર્વેદે સરગવાની જે ખૂબીઓને ઓળખી હતી, આધુનિક વિજ્ઞાનમાં તે સાબિત થઇ ચૂકી છે. દુર્ભાગ્ય એ છે કે જે સામાન્ય લોકોએ સરગવાના ગુણ વિશે ખબર હોવી જોઇએ તે લોકો તેનાથી અજાણ છે. સરગવાનું મૂળ સ્થાન હિમાલયની તરાઇ જ છે. આ જ કારણ છે કે ત્યાં તમને ઠેર ઠેર સરગવાના ઝાડ જોવા મળી જશે. તેને દૈવી ચમત્કાર જ કહીશું કે વિશ્વમાં જ્યાં-જ્યાં કુપોષણની સમસ્યા છે ત્યાં સરગવાનું અસ્તિત્વ છે. દેશના અપેક્ષાકૃત પ્ર...

પાન ના પ્રકાર

પાન ના ઘટકો (૧) નાગરવેલનું પાન, (૨) સોપારી, (૩) ચૂનો, (૪) તમાકુ, (૫) કાથો, (૬) કસ્તૂરી, (૭) સોના અને ચાંદીનો વરખ, (૮) લીલી વરિયાળી (સુકાયેલી નહીં તેવી ભીની વરિયાળી), (૯) બદામ, (૧૦) મરી, (૧૧) કેસર, (૧૨) જાયફળ (૧૩) જાવંત્રી, (૧૪) એલચી, (૧૫) લવિંગ (૧૬) સૂંઠ, (૧૭) આદુ, (૧૮) ચંદન, (૧૯) સૂકું અને લીલું નાળિયેર, (૨૦) તજ, અને (૨૧) કપૂર, (૨૨) ખારેક. આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે. યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે,  કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ  ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં...

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

લાખાલુણી

કુદરતે પોતાના ખજાનામાંથી આપણને પહેલેથી જ પુષ્કળ આપ્યું છે, બસ આપણે જ તેને ઓળખી નથી શકતા, પહેલા લોકોને જ્ડ્ડી બુટ્ટી ની ઘણી જાણકારી હતી પણ ધીમે ધીમે લુપ્ત થઇ ગઈ. #લાખાલુણી ખાલી પડેલ જમીન ઉપર ઉગી નીકળે છે. અને આપણે તેનેનકામી સમજીને ફેંકી દેતા હોઈએ છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાંતેને common purslane, Kaun Purslane, Pussley, Pig-weed કહેવામાં આવે છે. તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો. અને વરસાદમાં તે પાણી મળવાથી ફરીવાર લીલી થઈને ફેલાઈ જાય છે. જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમાં Immunity હશે. #તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iron, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે. #આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલાશાકભાજીમાં જો કોઈમાં omega 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે. #તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામ...

ગરમાળો (આરગ્વધ)

૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય છે. અને પહેલાં ફૂલો આવે છે ત્યારે માત્ર ડાળી પર ફૂલો જ જોવા મળે છે .ત્યારબાદ પર્ણો નવા ફૂટવા લાગે છે. અને લીલાછમ વૃક્ષમાં પીળાં રંગનાં ઝુમ્મર લટકાવ્યા હોય તેવાં દેખાય છે. તે સુવર્ણ સમાન ચમકદાર અને આકર્ષક લાગવાને કારણે જ તેનું એક નામ સ્વર્ણવૄક્ષ પણ છે.આરગ્વધ ગરમાળો એ ચતુરંગુલના નામથી પણ ઓળખાય છે. चतुरंगुल मृदुविरेचनानाम् I   ગરમાળાનું મુખ્ય કર્મ એ મૃદુ વિરેચનનું છે તેની શિંગ એ ચાર આંગળની માત્રામાં લેવાની હોઈ તેનું નામ જ ચતુરંગુલ આપણા ઋષિઓએ પાડેલ છે. ગરમાળાનાં પાન, છાલ શિંગ, ગરમાળાનો ગોળ, ફૂલ તમામ અંગો એ ઔષધીય ગુણ ધરાવે છે. ગરમાળાની શિંગોમાં રહેલ ગરને ગરમાળાનો ગોળ કહે છે. એ મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે.   બજારમાં મળતી શિંગો અથવા ગરમાળાનો ગોળ એ સડેલો ,ઘણીવાર ખોટો થઈ ગયેલો અને મધુર હોવાથી ઘણીવાર તેમાં જીવડાં પડ...