Skip to main content

સરગવા

કલ્પના કરો. એક એવું ઝાડ જેના પાન અને સિંગમાં ૩૦૦થી વધારે રોગોને અટકાવવાના ગુણ, ૯૨ વિટામિન્સ, ૧૬ એન્ટિ ઓક્સિડેન્ટ, ૩૬ દર્દ નિવારક અને ૧૮ પ્રકારના એમિનો એસિડ મળે છે તો આ ઝાડને ચમત્કાર જ માનવામાં આવશે. તમારી આસપાસ આમ જ ઉગતા સરગવામાં આ તમામ ગુણો રહેલા છે. તેની ખૂબીઓનો આટલેથી જ અંત આવી જતો નથી. ચારા તરીકે તેના લીલા અને સૂકા પાનના ઉપયોગથી પશુઓના દૂધમાં દોઢ ગણાથી વધારે અને વજનમાં ત્રીજા ભાગ કરતાં વધારેની વૃદ્ઘિના અહેવાલ છે. એટલું જ નહીં, તેના પાનના રસને પાણીમાં મિલાવી પાક પર છાંટવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. કુપોષણ, એનીમિયા વિરૂદ્ઘના જંગમાં સર્વસુલભ અને દરેક જગ્યાએ પેદા થતો સરગવો ઉપેિક્ષત છે. લગભગ પાંચ વર્ષ પહેલા આયુર્વેદે સરગવાની જે ખૂબીઓને ઓળખી હતી, આધુનિક વિજ્ઞાનમાં તે સાબિત થઇ ચૂકી છે. દુર્ભાગ્ય એ છે કે જે સામાન્ય લોકોએ સરગવાના ગુણ વિશે ખબર હોવી જોઇએ તે લોકો તેનાથી અજાણ છે. સરગવાનું મૂળ સ્થાન હિમાલયની તરાઇ જ છે. આ જ કારણ છે કે ત્યાં તમને ઠેર ઠેર સરગવાના ઝાડ જોવા મળી જશે. તેને દૈવી ચમત્કાર જ કહીશું કે વિશ્વમાં જ્યાં-જ્યાં કુપોષણની સમસ્યા છે ત્યાં સરગવાનું અસ્તિત્વ છે. દેશના અપેક્ષાકૃત પ્રગતીશીલ દિક્ષણ ભારતના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં તેની ખેતી થાય છે. હવે તો ગુજરાતમાં અને ખાસ કરીને ચરોતરમાં સરગવાની ખેતીમાં વધારો થઇ રહ્યો છે. તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીએ પીકેએમ-૧ અને પીકેએમ-ર નામની બે પ્રજાતિઓ વિકસાવી છે. પીકેએમ-૧ ત્યાંના કૃષિ જળવાયુ ક્ષેત્રને અનુકૂળ પણ છે.

સરગવાના પૌષ્ટિક ગુણોની તુલના - વિટામિન સી : સંતરા કરતાં ચાર ગણુ - વિટામિન એ : ગાજર કરતાં ચાર ગણુ - કેલ્શિયમ : દૂધ કરતાં ચાર ગણુ - પોટેશિયમ : કેળા કરતાં ત્રણ ગણુ - પ્રોટીન : દહીં કરતાં ત્રણ ગણુ

Comments

Popular posts from this blog

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

સર્પગંધા (Rauwolfia Serpentins)

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી . સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે. એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે. પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે. આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિ...